ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ પસંદગી પામતાં આનંદ સાથે હર્ષની લાગણી.
5 સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રીશ્રી પાણી પુરવઠા પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ ના હસ્તે શ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું સન્માન તથા ધનરાશી સ્વરૂપે રૂપિયા ૧૫૦૦૦ /- આપવામાં આવ્યા. જેમાંથી PTC નું શિક્ષણ મેળવેલ સંસ્થા ડાયેટ સુરેન્દ્રનગરને ૫૦૦૦/- , બાળ અનાથાશ્રમને ૫૦૦૦/- તથા તેમની પોતાની શાળા શ્રી ભલગામડા પ્રા.શાળાને ૫૦૦૦/- દાનમાં આપવામાં આવ્યા. સાહેબની સાદગી સાથેના સમર્પણને હજારો સલામ...
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો